Skip to main content

કર્મનો સિદ્ધાંત - Shailesh Sagpariya

Date : 29-08-2017

હું જ્યારે કોલેજમાં હતો ત્યારે અમારા એક પ્રોફેસરે લેક્ચરમાં હીરાલાલ ઠક્કર દ્વારા લખાયેલા "કર્મનો સિદ્ધાંત" પુસ્તકની વાત કરી હતી. મને આ પુસ્તક વાંચવાની ઈચ્છા થઇ. કોલેજ પૂરી કરીને સીધો જ બુક સ્ટોર પર ગયો અને પુસ્તક ખરીદ્યું. લીલા પૂંઠાવાળું અને કોઈપણ જાતની સજાવટ વગરનું દેખાવમાં સાવ સામાન્ય પુસ્તક હતું પણ પુસ્તકમાં અસામાન્ય વાતો હતી.
વિશ્વના લગભગ તમામ ધર્મોમાં કર્મના સિદ્ધાંતની વાતો કરવામાં આવી છે. તમે જેવા કામ કરો એવું ફળ વહેલું કે મોડું મળ્યા વગર રહે જ નહિ એવું મોટાભાગના ધર્મગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે. કેટલાક અતિ વિદ્વાન અને પંડિત લોકોને આ વાતો વાહિયાત લાગે. આ વિદ્વાનો એવું માનતા હોય છે કે લોકો ભય કે ડરના કારણે કદાચ ખોટા કામ કરતા અટકે એટલે આવી હંબક વાતો લખી હોય છે.
હીરાલાલ ઠક્કરના આ નાના એવા પુસ્તકમાં અદભૂત દાખલ અને દલીલો સાથે આ વાતો હંબક નહિ પણ હકીકત છે એ સમજાવ્યું છે. એમણે આપેલું એક ઉદાહરણ મને ખુબ સ્પર્શી ગયું હતું. અનાજની કોઠીમાં જો અનાજ ભરેલું હોય તો કોઠીની નીચેના કાણામાંથી અનાજ જ બહાર નીકળે. કોઠી અડધી અનાજની ભરેલી હોય અને તમે ઉપરથી કચરો નાખવાનું ચાલુ કરો એટલે નીચેના કાણામાંથી કચરો નીકળવાનું ચાલુ ના થાય કારણકે હજુ અનાજ ભરેલું છે. જ્યાં સુધી બધું અનાજ ખાલી ના થાય ત્યાં સુધી કચરો બહાર ના આવે એનો મતલબ એ ના થાય કે કચરો ક્યારેય બહાર જ નહિ આવે. એનો સમય થાશે એટલે બહાર આવ્યા વગર રહેશે જ નહિ.
સીબીઆઇની સ્પેશિયલ કોર્ટ દ્વારા ગઈકાલે ગુરમિત રામ રહિમને 20 વર્ષની જેલની સજા કરવામાં આવી એ કર્મના સિદ્ધાંતની પુષ્ટિ કરે છે. ગુરમીત રામ રહિમ દ્વારા જે સમાજ ઉપયોગી સારા કાર્યો થયા હોય એનું એને સારું ફળ મળે જ કોઠીમાં અનાજ ભર્યું હોય તો અનાજ બહાર નીકળે જ પણ જો કોઠીમાં કચરો નાખ્યો હોય તો એ અનાજમાં વચ્ચે દબાઈ ના જાય એ પણ બહાર નીકળે જ.
કર્મનો સિદ્ધાંત એવું કહે છે માણસે પોતાના સારા અને ખરાબ બંને કર્મોનું ફળ ભોગવવાનું હોય છે. 10 સારા કર્મો હોય અને 2 ખરાબ કર્મો હોય તો સારા કર્મોમાંથી ખરાબ કર્મો બાદ થઇ જાય અને બાકી રહેતા સારા કર્મોનું ફળ ભોગવવા મળે એમ ના હોય. 10 સારા કર્મોનું ફળ પણ ભોગવવાનું થાય અને 2 ખરાબ કર્મોનું ફળ પણ ભોગવવાનું થાય. બાબાના વકીલ દ્વારા બાબાએ કરેલા લોક કલ્યાણના કામો આગળ ધરીને બાબાને હળવી સજા કરવા વિનંતી કરી. કાયદા પ્રમાણે કોર્ટે આવી કોઈ દલીલને ગ્રાહ્ય રાખી નહિ. કર્મના સિદ્ધાંત પ્રમાણે સારા કામને આગળ ધરીને ખરાબ કર્મના ફળમાંથી છટકી શકાય નહિ.
ખરાબ કામના ફળમાંથી છટકવા માટે દાન ધર્માદો કે અન્ય આશરો લેનારા યાદ રાખે કે સારા કામના બદલામાં ખરાબ કામના ફળમાંથી બચી શકવાના નથી જ. હા એ ખરું કે જે સારું કામ કર્યું હશે એનું ફળ ભોગવવા પણ મળશે.
બની બેઠેલા ખોટા બાબાઓ અને બાવાઓની માયાજાળમાંથી પ્રભુ સૌને બચાવે એવી પ્રાર્થના અને કોર્ટને આવો ન્યાય કરવા બદલ વંદન.

Source : Shailesh Sagpariya

Comments

Popular posts from this blog

ફૌઝાસિંહ ની જીવન કથા

પંજાબના જાલંધરમાં જન્મેલા ફૌઝાસિંહના પગ જન્મથી જ નબળા અને સાવ પાતળા હતા. 5 વર્ષની ઉંમર સુધી તો એ ચાલી જ નહોતા શક્યા. માતા-પિતાને ચિંતા હતી કે આ છોકરો કાયમ માટે અપંગ રહી જશે. ફૌઝાસિંહ જ્યારથી સમજતા થયા ત્યારથી એણે એક સંકલ્પ કરેલો કે મારે મારા પગ ઉપર માત્ર ઉભા જ નથી થવુ, દોડવું પણ છે. મજબુત મનોબળના સહારે ફૌઝાસિંહ ધીમે ધીમે ચાલતા થયા. થોડું ચાલે તો પણ થાક લાગે. બીજા લોકો એમને વધુ ન ચાલવાની સલાહ આપે  પણ ફૌઝાસિંહને એક જ લગન હતી કે મારે માત્ર ચાલવુ નથી દોડવું છે. ધીમે ધીમે એણે દોડવાનું પણ ચાલુ કર્યુ. લગભગ 36 વર્ષની ઉંમર સુધી એ પોતાના શોખ માટે થોડું દોડતા પણ પછી બધુ મુકી દીધુ. 1992માં ફૌઝા સિંહના પત્નિનું અવસાન થયુ. ત્યારે એમની ઉમર 81 વર્ષની હતી. પત્નિની વિદાયનું દુ:ખ હળવું હરવા મનને બીજી કોઇ દીશામાં વાળવાના હેતુથી એણે પાછું દોડવાનું ચાલુ કર્યુ. લોકોએ કદાચ એના આ વિચારને પાગલપન સમજ્યુ હશે પણ બીજા કોઇની વાત સાંભળવાને બદલે ફૌઝાસિંહે અંતરનો અવાજ સાંભળ્યો અને 81 વર્ષે ફરીથી દોડવાનું શરુ કર્યુ. લગભગ 12 વર્ષ આ રીતે નિયમિત દોડવાની પ્રેકટીસ કર્યા પછી 93 વર્ષની ઉંમરે એણે મેરેથોનમાં ભાગ લેવાન...

મારી લાડકી દિકરી

ગામડામાંથી શહેરમાં ભણવા માટે આવેલી દિકરી પર લખાયેલો એક પિતાનો પત્ર ( આ કાલ્પનિક પત્ર છે પણ સમજવાનો પ્રયાસ કરશો તો આ એક સામાન્ય લાગતો કાગળ ઘણું ઘણું કહી જાય છે.) મારી લાડકી દિકરી...... બેટા, તને ભણવા માટે શહેરમાં મુકી પણ તારી ગેરહાજરીથી આખુ ઘર મને ખાલી-ખાલી લાગે છે. આ ખાલીપો મને મંજૂર છે કારણકે મારી લાડકડીને મારે ઉંચા પદ પર જોવી છે. તારી બાએ જે તકલીફો સહન કરી છે એ તારે ના કરવી પડે એટલે તને ભણવા માટે શહેરમાં મુકી છે. બેટા, જાત-જાતની વાતો સાંભળીને અને છાપાઓમાં વાંચીને કેટલાય દિવસથી અંતર વલોવાતું હતું એટલે આજે તને કાગળ લખવા બેઠો છું. મારી ઇચ્છા હતી હે હું તને ગર્લ્સ હોસ્ટેલમાં જ રાખુ જેથી તું સમુહજીવનના પાઠ ભણી શકે. સાચુ કહુ તો તારી બાની હોસ્ટેલમાં દાખલ કરવાની ઇચ્છા અને આગ્રહ બન્ને હતા કારણકે એક મા તરીકે એને તારી કેટલીક ચિંતાઓ હતી. આમ છતા તારી ઇચ્છા મુજબ મેં તને હોસ્ટેલમાં રહેવાના બદલે રુમ રાખીને રહેવા માટેની છુટ આપી કારણકે મને મારી લાડકી દિકરી પર પુરો વિશ્વાસ છે. બેટા, છાપામાં એક સમાચાર વાંચ્યા કે ગામડામાંથી શહેરમાં આવતા છોકરા-છોકરીઓ ભણવાના બદલે બાગ-બગીચામાં રખડ્યા કરે છે....

હૈયાના હેત ના ભૂલાય સ્વામી તારા હૈયાના હેત ના ભૂલાય

પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજ ભારતમાં હોય ત્યારે દિવાળીનો ઉત્સવ ગોંડલ ખાતે જ ઉજવે. સ્વામીબાપા શરદપૂનમ પહેલા આવી જાય અને લાભપાંચમ કરીને ગોંડલથી વિદાય લે. સ્વામીબાપા લગભગ 20 થી 25 દિવસ અને ક્યારેક આખો મહિનો નાનકડા એવા ગોંડલમાં રોકાતા અને અદભૂત લાભ આપતા. હું મારી જાતને અત્યંત ભાગ્યશાળી સમજુ છું કારણકે સ્વામીબાપા જેટલા દિવસ ગોંડલમાં રોકાય એટલા દિવસ સ્ટેજ સંચાલનની અને એનાઉન્સર તરીકેની સેવાનો લાભ મને મળતો.  બાપાના ગોંડલ ખાતેના રોકાણ દરમ્યાન અમે જાત જાતના સાંસ્કૃતિક કાર્યક્રમો કરતા હતા. એકવખત દેશની પ્રવર્તમાન પરિસ્થિતિનું વર્ણન કરતુ એક સુંદર નાટક તૈયાર કર્યું હતું. નાટકનું લેખન મિત્ર જય વસાવડા અને મેં અમે બંનેએ સાથે કરેલું. સ્વાભાવિક છે કે લેખક તરીકે બહુ ઈચ્છા હોય કે બાપા આરંભથી છેક અંત સુધી અમારું નાટક જોવે. દિવાળીના દિવસો હોય, દેશ વિદેશમાંથી હજારો હરિભક્તો ગોંડલ આવ્યા હોય, મહાનુભાવો પણ બહુ મોટી સંખ્યામાં બાપાના દર્શન માટે આવતા હોય એમાં આખું નાટક જોવાનો સમય બાપા કેવી રીતે કાઢી શકે ? પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજનું ધ્યાન રાખનારા એના સેવકસંતોએ સૂચના આપેલી કે તમે સાંજે સમયસર જ તમારો કાર્યક્રમ શ...